चरित्रवर्णनम् સંસ્કૃત વાર્તાનો- ગુજરાતી ભાવાનુવાદ “ચરિત્ર વર્ણન”
કોઇકવાર કોઇએક રાજાએ પોતાની સભામાં કવિસંમેલન યોજ્યું . તેણે જાહેર કર્યું કે જે કવિ પોતાની કવિતામાં રાજાના ચરિત્રનુ યથાર્થ વર્ણન કરશે તેમને એક શુદ્ધ હીરો ઇનામ આપવામાં આવશે. તે સમ્મેલનમાં ઘણા કવિઓ આવ્યા અને પોતાની કવિતા સંભળાવી (જેમાં) રાજાના ભારોભાર વખાણ કર્યા. આમ દરેક કવિએ રાજાની હદુપરાંત પ્રશંસા કરી અને આથી રાજાએ તેમને એક એક હીરો આપ્યો. છેલ્લે ‘સાધુરામ’ નામનો કોઇ કવિ પોતાની કવિતા સંભળાવવા ગભરાતો ગભરાતો મંચ ઉપર આવ્યો, પહેલા તેણે રાજાના બે-ત્રણ વખાણ કર્યા, પછી અવગુણોનું વર્ણન શરુ કર્યું. રાજાએ તેને પણ એક હીરો ઇનામ આપ્યો
ત્યારબાદ બધાં કવિઓ (પોત)પોતાનો હીરો લઇને તેનું મૂલ્યાંકન કરાવવા ઝવેરી પાસે ગયા. સાધુરામના હીરા સિવાય બધાના હીરા કૃત્રિમ (નકલી) હતાં.
કવિઓ રાજા પાસે જઇને બોલ્યાં — ‘મહારાજ, તમે આપેલ બધાં હીરા નકલી છે, તેના વડે થોડું અનાજ પણ ઉપજી શકે તેમ નથી.
રાજા આવેશપૂર્વક બોલ્યા — ‘તમે કવિતામાં મારા વિષે જે પણ બોલ્યા તે બધું પણ ખોટું છે. મારા ચરિત્રનું સાચું ચિત્રણ માત્ર સાધુરામે જ કર્યું’